Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિને લઇને નિતિન પટેલે કરી સ્પષ્ટતા, શેરી ગરબાને પણ મંજૂરી નહિ

Webdunia
શુક્રવાર, 9 ઑક્ટોબર 2020 (16:01 IST)
ગુજરાત સરકાર દ્વારા નવરાત્રિથી લઈને દિવાળી સુધીના તહેવારો કેવી રીતે ઉજવવા તે અંગે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. જોકે, આ ગાઈડલાઈનમાં શેરી ગરબા યોજવા કે નહિ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામા આવી ન હતી. ત્યારે ગાઈડલાઈન જાહેર કર્યાંના થોડીવાર બાદ તરત સરકારે શેરી ગરબા અંગે પણ સ્પષ્ટતા કરી છે. 
 
નીતિન પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રિ ગરબા આયોજન અંગે કેટલીક વધુ સ્પષ્ટતા કરવાની કે રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહી. માત્ર માતાજીની મૂર્તિ કે ગરબી સ્થાપન કરીને પૂજા આરતી વધુમાં વધુ 200 વ્યક્તિઓની ઉપસ્થિતિમાં અને સોશીયલ ડિસ્ટસિંગ સહિતની એસ.ઓ.પીના પાલન સાથે કરી શકાશે. 
 
તે સિવાય કોઈ ગરબાના આયોજન કરી શકાશે નહી. માત્ર માતાજીની આરતી પૂજા જ કરી શકાશે, પ્રસાદ વિતરણ પણ નહિ કરી શકાય. સરકારની સ્પષ્ટ સૂચના બાદ હવે ગુજરાતમાં શેરી ગરબાનું આયોજન થઇ શકશે નહી તે સ્પષ્ટ થઇ ગયું છે. 
 
નીતિન પટેલે જણાવ્યું કે, એક ગામમાં 10 જગ્યાએ છૂટુંછૂટું કરવું હોય તો દરેક પોતપોતાની રીતે કરી શકશે. ગરબા માટે અમોએ મંજૂરી માટે લાંબી પ્રક્રિયા રાખી નથી. દિવાળી સુધીના તહેવારો અમે ધ્યાનમાં લીધા છે. એક પરિસરમાં 200થી વધુ લોકો નહીં રહી શકે. કોઈ પણ મંદિરમાં પણ કોઈ ટ્રાફિક ના થાય તે ધ્યાન રાખવું પડશે. કોમન પ્લોટ, મોટા પ્લોટ, હોલ, ટાઉન હોલ આ તમોની અમે વ્યાખ્યા કરી છે, જે હોલ હોય તેમા 200 લોકોને પ્રવેશ આપી ધાર્મિક પ્રોગ્રામ કરી શકાશે. હોલમાં કલાકારો પ્રોગ્રામ આપી શકશે.
 
16 ઓક્ટોબરથી અમલ થનારી રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા મુજબ કોઈપણ પ્રકારના ગરબાના આયોજનને રાજ્ય સરકારે મંજૂરી આપી નથી. આવામાં ખેલૈયાઓમાં નિરાશા પણ જોવા મળી છે, પરંતુ અનેક શહેરીજનોએ સરકાર દ્વારા કરાયેલા આ નિર્ણયને આવકાર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments