Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુવકની હત્યા મામલે બાવળા સજ્જડ બંધ, કોળી સમાજ દ્વારા બંધનું એલાન

Webdunia
શુક્રવાર, 13 મે 2022 (12:27 IST)
ગુજરાતમાં દિવસો દિવસ યુવાનોમાં વધતા ક્રાઈમના સમાચાર ખૂબ જ ચિંતાજનક છે.  આજકાલના યુવાનોનો ગુસ્સાના આવેગ પર કાબુ નથી. જેના કારણે એ ક્ષણવારના આવેગમાં તેઓ એવુ કૃત્ય કરી બેસે છે જે તેમને ગુનેગાર બનાવીને તેમનુ ભવિષ્ય અંધારામાં ધકેલી દે છે. આવી જ એક ઘટના 6 મે ના રોજ અમદાવાદના બાવળાના જૂના માર્કેટ યાર્ડમાં બની હતી. 
 
જાણો શુ હતી ઘટના 
ધોળકા તાલુકાનાં રનોડા ગામનાં ખેડૂત હિંમત નરસિંહભાઈ પરમાર 6 તારીખે ટ્રેકટર ડાંગર ભરીને હરાજીમાં વેચવા માટે બાવળા માર્કેટયાર્ડમાં આવ્યા હતાં. દરમ્યાન માર્કેટ યાર્ડમાં ટ્રેક્ટર પાર્ક કરવા માટે ત્યાં ક્રિકેટ રમતાં છોકરાઓ સાથે બોલાચાલી થઇ. આથી છોકરાઓએ તેમનાં સાગરીતોને બોલાવીને બેટ અને સ્ટમ્પથી મારામારી કરતાં હિંમતભાઈનું હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યું હતું.

આરોપીઓ સગીર વયના
અમદાવાદ જિલ્લાના બાવળાના જુના માર્કેટ યાર્ડમાં યુવકની હત્યા મામલે પોલીસે તપાસ કરતા મોટાભાગના આરોપીઓ સગીર વયના હોવાનું જાણવા મળ્યું છે.  જેઓ નિયમિત રીતે માર્કેટ યાર્ડના મેદાનમાં ક્રિકેટ રમવા આવતા હતા અને ટ્રેક્ટર પાર્ક કરવાના મામલે અનેક  ખેડૂતો સાથે મારામારી પણ કરી ચુક્યા છે. બીજી તરફ બાવળામાં રહેતા મોટાભાગના હુમલાખોરોની ઓળખ થઇ ચુકી છે પરંતુ, તેઓ નાસી ગયા હોવાથી પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે. બાવળા પોલીસે કુલ અજાણ્યા 12  લોકો સામે ગુનો નોધ્યો હતો. જેમાં સીસીટીવી  ફુટેજ અને સ્થાનિક સ્તરે તપાસ કરતા મોટાભાગના આરોપીઓ સગીર વયના  છે અને બાવળાના જ રહેવાસી છે. 

કોળી સમુદાય દ્વારા બંધનું એલાન
જે મામલે આજે કોળી સમુદાય દ્વારા બાવળા બંધનું એલાન આપવામાં આવ્યું છે. કોળી સમાજે બાવળા માર્કેટ યાર્ડને બંધનું એલાન આપ્યું છે. હત્યા મામલે જલ્દીમાં જલ્દી ન્યાય મળે તેવી માંગ સાથે ખેડૂતો અને કોળી સમાજ દ્વારા બાવળામાં બંધનું એલાન અપાયું છે. બંધનું એલાન અપાતા આજે માર્કેટમાં તમામ દુકાનો બંધ જોવા મળી હતી. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments