Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવતીકાલે અમિત શાહ નારણપુરા જ્યારે પ્રદીપસિંહ વસ્ત્રાલ તથા મુખ્યમંત્રી રૂપાણી રાજકોટમાં મતદાન કરશે

Webdunia
શનિવાર, 20 ફેબ્રુઆરી 2021 (16:52 IST)
આવતીકાલ 21મી ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકામાં મતદાન થશે. દરેક મતદાર મતદાન કરતા હોય છે. રાજકીય પક્ષોના નેતાઓ અને ઉમેદવારો પણ મતદાન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેક નેતાઓ અમદાવાદમાં મતદાન કરશે. અમિત શાહ નારણપુરા સબઝોનલ ઓફિસમાં આવેલ મતદાન મથક પર પરિવાર સાથે મતદાન કરવા જશે. રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વસ્ત્રાલ વિસ્તારમાં માધવ સ્કૂલમાં મતદાન કરવા જશે. તે ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ ખાતે સાંજે પાંચ કલાકે વોર્ડ નંબર 10માં મતદાન કરશે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુરતમાં વોર્ડ નંબર 20માં સવારે 9 કલાકે મતદાન કરશે.
 
વડાપ્રધાન મોદી મત આપવા નહીં આવે
 
જ્યારે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ આંબાવાડી ખાતે સી.એન વિદ્યાલયમાં મતદાન કરશે. પૂર્વ મેયર બીજલબેન પટેલ પાલડી ખાતે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પૂર્વ નેતા અમિત શાહ વાસણા ખાતે મતદાન કરશે. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતાધિકાર ધરાવતા હોવાથી તેઓ વિધાનસભા અને લોકસભામાં રાણીપ નિશાન સ્કૂલ ખાતે મત આપવા આવે છે પરંતુ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તેઓ મત આપવા નહીં આવે.
 
કોગ્રેસના નેતાઓ આટલા સ્થાને મતદાન કરશે
 
હિમતસિંહ પટેલ MLA - સુખરામનગર સરકારી શાળા - 12 વાગે
ગ્યાસુદિન શેખ MLA - શાહપુર મિલ કમ્પાઉન્ડ સવારે 8 વાગે​​​​​​​
ઇમરાન ખેડાવાળા MLA - જમાલપુર શાળા નંબર ૯-૧૦ -- 11 વાગે​​​​​​​
લાખાભાઈ ભરવાડ MLA - ગ્યાસપુર પ્રાથમિક શાળા - 12 વાગે​​​​​​​
દિપકભાઈ બાબરીયા મહામંત્રી કોંગ્રેસ - વંદના ઢીંગલી ઘર - પાલડી- 1 વાગે​​​​​​​
અમીબેન યાજ્ઞિક રાજ્યસભા સાંસદ - આંબાવાડી સહજાનંદ કોલેજ 11 વાગે​​​​​​​
ડૉ.મનીષ દોશી, મુખ્ય પ્રવક્તા - અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ બોડકદેવ -10 વાગે​​​​​​​
શશીકાંત પટેલ શહેર પ્રમુખ - ભાવિન વિધાલય થલતેજ ગામ 9 વાગે​​​​​​​
કમળાબેન ચાવડા નેતા વિપક્ષ AMC - શાળા નંબર 13 બહેરામપુરા ડપિંગ સાઈડ રોડ - 9 વાગે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments