Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ: કાંકરિયામાં મોટી દૂર્ઘટના, રાઇડ તૂટતા 3 લોકોના મોત,26થી વધુ ઇજાગ્રસ્ત

Webdunia
રવિવાર, 14 જુલાઈ 2019 (20:05 IST)
અમદાવાદના કાંકરિયામાં બાલવાટિકામાં ડિસ્કવરી રાઇડ તૂટતા 3 લોકોના મોત થવાના સમાચાર છે જ્યારે આ દૂર્ઘટનામાં 26થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રવિવારને કારણે કાંકરિયા બાલવાટિકામાં ભારે ભીડ જોવા મળી હતી જેને કારણે આ દૂર્ઘટના સર્જાઇ હોવાનું જાણવા મળે છે.ઇજાગ્રસ્તમાં બાળક-મહિલાઓનો સમાવેશ થાય છે.
 
ગૌરીવ્રત અને રવિવારને કારણે કાંકરિયા બાલવાટિકામાં રાઇડ્સમાં ભારે ભીડ જોવા મળી હતી. સંચાલકોની મેઇન્ટેન્સની બેદરકારીને કારણે આ રાઇટ ભારે વજનને કારણે તૂટી ગઇ હતી. જેમાં 3 લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા જ 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોચી ગયા હતા અને ફસાયેલાઓને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.
 
આ ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા ઘટનાસ્થળે પહોચ્યા હતા અને વધુ તપાસના આદેશ આપ્યા છે. વિજય નેહરાએ કહ્યું કે, એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે અને આ દૂર્ઘટના કઇ રીતે બની તેની તપાસ કરવામાં આવશે અને એફઆઇઆર નોંધવામાં આવશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments