Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હી વિસ્ફોટ પછી, લાલ કિલ્લા મેટ્રો અંગે એક મોટી ખબર સામે આવી છે: આ દરવાજા બંધ રહેશે.

red fort
, મંગળવાર, 11 નવેમ્બર 2025 (10:34 IST)
Following the Delhi blast-  દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બોમ્બ વિસ્ફોટમાં 11 લોકો માર્યા ગયા છે અને 29 ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. દિલ્હી મેટ્રોના લાલ ગેટ સ્ટેશન અંગે એક મોટી અપડેટ સામે આવી છે.
 
લાલ કિલ્લા મેટ્રોનો ગેટ 1 અને ગેટ 4 આગામી સૂચના સુધી બંધ રહેશે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને વિસ્તારને ઘેરી લીધો છે.વિસ્ફોટ પહેલાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે.
 
વિસ્ફોટ પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં કાળો માસ્ક પહેરેલો I-20 કાર ચાલક દેખાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રાઇવરની ઓળખ મોહમ્મદ ઉમર તરીકે થઈ છે. તે ફરીદાબાદ મોડ્યુલ સાથે સંકળાયેલો છે.
 
દિલ્હી વિસ્ફોટ કેવી રીતે થયો?
સોમવારે (૧૦ નવેમ્બર) સાંજે, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો. નજીકની કારોને પણ અસર થઈ. આ અચાનક બનેલી ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો અને લોકો જુદી જુદી દિશામાં દોડવા લાગ્યા.
 
દિલ્હી પોલીસ, SFL ટીમ, NIA અને NSG પણ તપાસમાં જોડાયા છે. હરિયાણા રજીસ્ટ્રેશન નંબરવાળી i-20 કારમાં વિસ્ફોટ થયો હતો. ગૃહમંત્રી અમિત શાહ આજે સુરક્ષા એજન્સીઓ સાથે એક મોટી બેઠક કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Delhi Blast Photos : દિલ્હી બ્લાસ્ટની બોલતી તસ્વીરો, ક્યારે અને કેવી રીતે થયો બ્લાસ્ટ