Biodata Maker

શુક્રવારથી તપ-ત્યાગ પર્વ પર્યુષણનો પ્રારંભ

Webdunia
બુધવાર, 20 ઑગસ્ટ 2014 (14:03 IST)
જૈન સમાજ પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી કરવા થનગની રહ્યો છે. શુક્રવારે દેરાવાસી મૂર્તિપૂજક સમાજ તથા શનિવારના સ્‍થાનકવાસી જૈન  સમાજના પર્યુષણ મહાપર્વનો શુભારંભ થશે. આઠ દિવસ સુધી આ પર્વની ધર્મોલ્લાસપૂર્વક તપ ત્‍યાગપૂર્વક ભવ્‍ય રીતે ઉજવણી થશે. જિનાલયો તથા ઉપાશ્રયોમાં પ્રાર્થના- પ્રવચન - પ્રતિક્રમણ સહિત અનેક ધર્મભીના આયોજન થયેલ છે.

ધર્મસ્‍થાનોમાં બીરાજમાન પૂજય સાધુ- સાધ્‍વીજીઓ વિવિધ વિષયો ઉપર જિનવાણી ફરમાવશે.

   હજારો શ્રાવક- શ્રાવિકાઓ તપ- ત્‍યાગ- ભકિતમાં ઝૂલશે. દાન- શીલ- તપ- જપના રંગે રંગાશે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ જૈનોનું સૌથી મોટું પર્વ ગણાય છે. જિનાલયોમાં પ્રભુની ભવ્‍ય આંગી કરવામાં આવે છે. જીવદયામાં શ્રાવક- શ્રાવિકાઓ ભવ્‍ય આંગી કરવામાં આવે છે.

   જીવદયામાં શ્રાવક- શ્રાવિકાઓ ઉદાર દિલે દાન આપી અનેકવિધ પુણ્‍યના સદ્દકાર્યો કરશે. આઠ દિવસ સુધી ચતુર્વિધ સંઘ જ્ઞાન- દર્શન- ચારિત્ર અને તપમાં લીન બનશે.

   ધર્મસ્‍થાનો- ઉપાશ્રયો તથા શહેરના અનેક જિનાલયોમાં બીરાજમાન પૂજય સંત- સતિજીઓ જિન આગમોનું વાંચન કરશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

શિયાળામાં નારંગી ખાવાનો યોગ્ય સમય કયો છે, જાણી લો ખોટા સમયે ખાવાથી થતા નુકશાન વિષે

Amla Candy Recipe: ઘરે આમળાની કેન્ડી કેવી રીતે બનાવવી? રેસીપી ઝડપથી નોંધી લો.

Health Tips: જો તમને પણ છે લો બીપી તો થઈ જાવ સાવધાન, નહી તો આ 5 કારણ બગાડી શકે છે તમારુ આરોગ્ય

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

વધુ જુઓ..

નવીનતમ

Dattatreya jayanti 2025- ભગવાન દત્તાત્રેય કોણ છે, દત્ત જયંતિ ક્યારે છે? તારીખ, શુભ સમય અને પૂજા વિધિ

Momai maa Aarti - મોમાઈ માં ની આરતી

Mahabharata - મહાભારત યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? કારણ જાણો.

December Pradosh Vrat 2025 Date: આ મહીને ક્યારે ક્યારે છે પ્રદોષ વ્રત ? જાણો તિથી અને શુભ મુહૂર્ત

Mata Baglamukhi ki Aarti- માતા બગલામુખી આરતી

Show comments