Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ વસ્તુના સેવનથી માત્ર 15 દિવસમાં જ વજન ઓછુ કરો

Webdunia
શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (18:21 IST)
જીરાનો ઉપયોગ તો આપણે સૌ ખાવામાં કરીએ છીએ. આ દરેક ઘરમાં જોવા મળી જાય છે. પણ કેટલાક લોકોને આનાથી થનારા ફાયદા વિશે ખબર નથી. આને ખાવાથી આપણું પાચન તંત્ર ઠીક રહે છે અને કોઈપણ બીનારી થતી નથી. આનુ સેવન કરવાથી વજન ઓછુ થવા સાથે સાથે આ પેટના કીડા, તાવ ઉતારવો, કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવુ અને હાર્ટ અટેક વગેરેની બીમારીઓથી પણ બચાવી શકે છે.  તો આવો જાણીએ આના ફાયદા.. 
 
1. વજન ઓછુ કરે - જો તમારુ વજન ખૂબ વધુ છે અને તમે જલ્દી પાતળા થવા માંગો છો તો સતત બે અઠવાડિયા સુધી એક ગ્લાસમાં પાણી લઈને તેમા બે મોટી ચમચી જીરુ નાખીને આખી રાત પલાળી મુકો. સવારે ઉઠતા જ તેને ચા ની જેમ ઉકાળીને પીવાથી ચરબી ઘટે છે. ત્યારબાદ જે જીરુ બચી જાય છે તેને તમે ચાવીને પણ ખાઈ શકો છો. 
 
2. ચરબી ઘટાડે છે મધ અને જીરુ - જો તમે વધારાની ચરબી ઘટાડવા માંગો છો તો થોડા પાણીમાં 3 ગ્રામ જીરા પાવડને મિક્સ કરી તેમા મઘના થોડા ટીપા નાખીને પીવો. જો તમે ઘરે કોઈપણ સૂપ બનાવો તો તેમા જીરુ નાખી શકો છો. 
 
3. દહી સાથે જીરા પાવડર 
 
તમે જમતી વખતે જો દહી ખાઈ રહ્યા છો તો વજન ઓછુ કરવા માટે 5 ગ્રામ દહીંમાં એક ચમચી જીરા પાવડર પણ જરૂર લો.  
 
4. લીંબૂ આદુ અને જીરુ 
 
તમે જ્યારે પણ કોઈ શાકભાજી બનાવી રહ્યા હોય તો તેમા થોડા આદુને કદ્દૂકસ કરીને જરૂર નાખો. જો ઘરે લીંબૂ અને જીરુ છે તો તેને શાકમાં નાખીને રાતના સમયે લેવાથી તમને ખૂબ ફાયદો થશે. આવુ કરવાથી તમારુ વધતુ વજન કંટ્રોલમાં રહેશે. 
 
 
5. પાચન તંત્રને ઠીક રાખે 
 
તમને ગેસની તકલીફ થાય છે તેનો મતલબ છે કે તમારુ પાચન તંત્ર સારી રીતે કામ નથી કરતુ. અવામાં જો તમે જીરાનુ સેવન કરો. જીરુ ગેસ બનતા રોકે છે. જેનાથી ખોરાક સારી રીતે પચી જાય છે. 
 
6. હાર્ટ એટેક 
 
જો તમે વધી રહેલ ફૈટને ઓછુ કરવા માંગો છો તો જીરાનુ સેવન કરો. આ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનુ લેવલ ઠીક રહે છે અને આ હાર્ટ અટેકથી પણ બચાવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments