Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાન Hyundaiના Kashmir પર ટ્વીટ થી ધમાસાન, ભારતીય યુઝર્સ એ લતાડ્યા

પાકિસ્તાન Hyundaiના Kashmir પર ટ્વીટ થી ધમાસાન, ભારતીય યુઝર્સ એ લતાડ્યા
, સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (17:59 IST)
Hyundai Kashmir Row: સ્વરકોકિલા લતા મંગેશકરના નિધન પર આખો દેશ રવિવારે શોકમાં ગરકાવ હતો ત્યારે એક ટ્વિટને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે હોબાળો મચી ગયો હતો. બંને દેશોના સોશિયલ મીડિયા યુઝર્સ એકબીજા પર પ્રહારો કરી રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈની પાકિસ્તાની શાખા દ્વારા ટ્વિટર પર એક ટ્વિટને કારણે વિવાદ શરૂ થયો હતો.
 
શુ હતો વિવાદ ?
 
આ વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે પાકિસ્તાનમાં એક હુંડઈ ડીલરના ટ્વિટર એકાઉંટ @hyundai PakistanOfficial એ કાશ્મીર સોલિડેરિટી દિવસનુ સમર્થન કરતા એક સંદેશ પોસ્ટ કરતા કાશ્મીર અલગતાવાદીઓનુ સમર્થન કર્યુ હતુ. 
 
બોયકોટ હ્યુન્ડાઈ થયુ ટ્રેંડ 
 
આ ટ્વિટ પછી ભારતમાં ટ્વીટર પર બોયકોટ હ્યુન્ડાઈ ટ્રેન્ડ થવા લાગી. જોકે, હવે આ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવી છે. હ્યુન્ડાઈ પાકિસ્તાનના ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ચાલો આપણા કાશ્મીરી ભાઈઓના બલિદાનને યાદ કરીએ અને તેમના સમર્થનમાં ઉભા રહીએ જેથી તેઓ આઝાદીની લડાઈ ચાલુ રાખી શકે.
 
ભારતીય યુઝર્સે જોરદાર ગુસ્સો બતાવ્યો 
 
આંતરરાષ્ટ્રીય કંપની હોવાને કારણે પાકિસ્તાનના પ્રહસન સિવાય હ્યુન્ડાઈના ટ્વીટ પર હંગામો થયો હતો. ભારતીય યુઝર્સે રાજકીય સ્ટેન્ડ લેવા બદલ હ્યુન્ડાઈ પાકિસ્તાનની ટીકા કરી હતી. બીજી તરફ બીજેપી નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને આ માટે માફી માંગવાની માંગ કરી છે. કપિલ મિશ્રાએ ચેતવણી આપી છે કે જો કંપની આ માટે માફી નહીં માંગે તો કંપનીને મોટી નાણાકીય કિંમત ચૂકવવી પડશે. તેમજ તેની બ્રાન્ડ વેલ્યુને પણ મોટો ફટકો પડશે.
 
 
હ્યુન્ડાઈ ઈન્ડિયાએ આપવી પડી સફાઈ 
 
વિકાસ પર પ્રતિક્રિયા આપતા, હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયાએ ભારતીય બજાર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા સોશિયલ મીડિયા પર એક સંદેશ પોસ્ટ કર્યો છે. આમાં, કંપનીએ જણાવ્યું હતું કે "Hyundai MotorIndia ભારતીય બજારમાં 25 કરતાં વધુ વર્ષોથી પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે અને રાષ્ટ્રવાદનું સન્માન કરવાના તેના મજબૂત સિદ્ધાંતો માટે નિશ્ચિતપણે ઊભું છે." આ સિવાય હ્યુન્ડાઈએ ભારતને પોતાનું બીજું ઘર ગણાવ્યું છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અસિત વોરા નું રાજીનામુ લેવામાં આવ્યું, એમની સાથે આઈ કે જાડેજા અને બળવંત સિંહ રાજપૂત નું પણ બોર્ડ નિગમ માંથી રાજીનામુ લેવાયું