Webdunia - Bharat's app for daily news and videos

Install App

Easter Day- ઈસ્ટર ડે અર્થાત ગૂડ ફ્રાઈડેની ઉજવણી

Webdunia
રવિવાર, 9 એપ્રિલ 2023 (10:04 IST)
"ઈસ્ટર સન્ડે" ના દિવસે ખ્રિસ્તીઓ ભગવાન ઈસુના પુનરુત્થાનની(મૃત્યુ બાદ ફરીથી સજીવન થવું) ઉજવણી કરે છે
 
ખ્રિસ્તીઓ ''ઇસ્ટર"ના દિવસે શું ઉજવે છે ? - 
"ઈસ્ટર સન્ડે" ના દિવસે ખ્રિસ્તીઓ ભગવાન ઈસુના પુનરુત્થાનની (મૃત્યુ બાદ ફરીથી સજીવન થવું) ઉજવણી કરે છે. શાસ્ત્રોક્ત રીતે ખ્રિસ્તીઓ માને છે કે ભગવાન ઈશુ મૃત્યુ પામ્યાના ત્રણ દિવસ પછી પુર્નિજવિત થયા. ઈસ્ટર સીઝનના એક ભાગરૂપે ભગવાન ઈશુના વધસ્તંભ પર મૃત્યુ પામવાની ઘટનાને ''ઇસ્ટર" પહેલાં આવતા "ગૂડ ફ્રાઈડે"ના દિવસે યાદ કરીને તાજી કરવામાં આવે છે. પોતાના મૃત્યુ, દફન અને પુનરુત્થાન દ્વારા ભગવાન ઈસુએ તમામ પાપોનું પ્રાયશ્ચિત કરી લીધું અને એ રીતે તેઓએ પોતામાં વિશ્વાસ ધરાવતા પોતાના તમામ અનુયાયીઓને પોતાના સ્વરૂપમાં શાશ્વત જીવન બક્ષ્યું.
 
વેસ્ટર્ન ક્રિશ્ચિયાનિટીમાં ''ઇસ્ટર"ને ‘લેન્ટ’ નામે ઓળખાતા 40 દિવસના સમયગાળાની સમાપ્તિનું પ્રતીક ગણવામાં આવે છે. આ 40 દિવસો દરમ્યાન ખ્રિસ્તી ભાવુકો ''ઇસ્ટર"ની પૂર્વતૈયારી રૂપે વ્રત, જપ, ઉપવાસ, વગેરે કરવાની સાથે ચુસ્તપણે ધર્મનિયમોનું પાલન કરે છે. ‘લેન્ટ’ ‘એશ વેડનેસ ડે’ એ શરૂ થાય છે અને ઈસ્ટર સન્ડે એ પૂરો થાય છે.
 
ઈસ્ટર્ન ઓર્થોડોક્સ દેવળો "લેન્ટ" કે "ગ્રેટ લેન્ટ" "પામ સન્ડે" પૂર્વેના 40 દિવસો દરમિયાન મનાવે છે અને ''ઇસ્ટર"ના પવિત્ર અઠવાડિયા સુધી આ દિવસો દરમિયાન વ્રત, ઉપવાસ વગેરે કરે છે. ઈસ્ટર્ન ઓર્થોડોક્સ દેવળોમાં "લેન્ટ" સોમવારે શરૂ થાય છે. અને ‘એશ વેડનસડે’ મનાવવામાં આવતો નથી.
 
 ''ઇસ્ટર"નું ધીરે ધીરે કોર્મિશયલાઈઝેશન થવાના કારણે તેમ જ ઈસ્ટરમાં પાગન ઓરિજીન્સના કારણે (મૂર્તિ પૂજામાં માનતા હોય તેવા લોકો) ઘણાં દેવળોએ હવે તેને "પુનરુત્થાન દિવસ" તરીકે ઓળખાવાનું શરૂ કર્યું છે.
 
જુદી-જુદી ભાષાઓમાં "ગૂડ ફ્રાઈડે" -
ડચ શબ્દ ‘Goede Vrijday’ નો અક્ષરશઃ અર્થ "ગૂડ ફ્રાઈડે" એવો થાય છે. મોટાભાગના દેશોમાં તે "હોલી" કે "ગ્રેટ ફ્રાઈડે"ના નામે જાણીતો છે.
હોલી લેન્ડમાં તે "ગ્રેટ ફ્રાઈડે" ના નામે જાણીતો છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments