મધ્યપ્રદેશમા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે મંત્રી મંડળની રચના કરતાં પોતાના મંત્રી મંડળમાં 14 કેબિનેટ અને 8 રાજ્યકક્ષાના મંત્રીઓને સ્થાન આપ્યું છે. રાજ્યપાલ ડો. બલરામ ઝાખડે આજે અહીંયા રાજભવનમાં આયોજિત એક સમારોહમાં મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
કેબિનેટ મંત્રીઓમાં બાબુલાલ ગૌર, રાઘવજી, અનૂપ મિશ્રા, જગદીશ દેવડા, ગોપાલ ભાર્ગવ, કૈલાશ વિજયવર્ગીસ, જયંય મલૈયા, લક્ષ્મીકાન્ત શર્મા, નાગેન્દ્ર સિંહ, અર્ચના ચીટનીસ, જગન્નાથ સિંહ, રામકૃષ્ણ કુસુમારિયા, ગૌરીશંકર બિસેન અને તુકોરાવજી પવારનો સમાવેશ કરાયો છે.
રાજ્યમંત્રીઓમાં કરણસિંહ વર્મા, પારસજૈન, નારાયણસિંહ કુશવાહ, રંજના બધેલ, રાજ્ન્દ્ર શુકલા, કનૈયાલાલ અગ્રવાલ, દેવીસિંહ સયામ અને હરિશંકર ખટીકે શપથ લીધા હતા.